રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા19 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં પવિત્ર પર્વો દરમિયાન કતલખાના બંધ રાખવા આવેદનપત્ર અપાયું

ડીસામાં પવિત્ર પર્વો દરમિયાન કતલખાના બંધ રાખવા આવેદનપત્ર અપાયું
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો, જીવદયા પ્રેમીઓમાં રોષ ​ડીસા ખાતે પવિત્ર શ્રાવણ માસ અને જૈન સમાજના પર્યુષણ પર્વ નિમિત્તે ડીસા શહેરમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાના અને પશુ મંડીઓને બંધ કરાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં નિષ્ફળતા અંગે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.​આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અને લાઈસન્સ વિનાના કતલખાના અને પશુ મંડીઓ બેરોકટોક ચાલી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના આશીર્વાદ હેઠળ ચાલતી હોવાનો પણ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ​દર વર્ષે શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ જેવા પવિત્ર દિવસોમાં જીવદયા પ્રેમીઓને કતલખાના બંધ રાખવા માટે નગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆતો અને આજીજી કરવાની ફરજ પડે છે. આ બાબત દર્શાવે છે કે, નગરપાલિકા પોતાની ફરજ નિભાવવામાં કેટલી ઉદાસીન છે ? જો નગરપાલિકા સત્તાધીશો નિયમ મુજબ કડક પગલાં લે, તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ થઈ શકે છે.​જીવદયા પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા જો ગેરકાયદેસર કતલખાના અને પશુ મંડીઓ બંધ કરાવવામાં નિષ્ફળ જાય, તો તે ભાજપ શાસન માટે શરમજનક બાબત છે. શું નગરપાલિકા ખરેખર જીવદયા અને ધાર્મિક લાગણીઓને પ્રાધાન્ય આપશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે ? આ પ્રશ્નોનો જવાબ નગરપાલિકાની ભવિષ્યની કાર્યવાહી પર નિર્ભર રહેશે.

સંબંધિત સમાચાર