સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરોએ એક જ રાતમાં મોટી ચોરી કરી છે. સોનાસણ અને પોગલુ રોડ પર આવેલા 12થી વધુ ખેડૂતોના બોરકૂવા પરથી અંદાજે 150 મીટરથી વધુ કેબલની ચોરી કરવામાં આવી છે. રવિ સીઝનમાં ખેડૂતોએ બટાકા અને ઘઉંનું વ્યાપક વાવેતર કર્યું છે. વીજ કંપની દ્વારા દિવસે વીજ પુરવઠો અપાતો હોવાથી ખેડૂતો સવારે ખેતરમાં પાણી વાળવા જાય છે. રવિવારે રાત્રે તસ્કર ટોળકીએ સોનાસણથી પોગલુ રોડ પર આવેલા ખેતરોમાં ત્રાટક્યા હતા. સોમવારે સવારે જ્યારે ખેડૂતો રાબેતા મુજબ બોર ચાલુ કરવા ગયા ત્યારે મીટરથી બોર સુધીનો કેબલ કપાયેલો જોવા મળ્યો હતો. ચોરીનો ભોગ બનનાર ખેડૂતોમાં સોનાસણના મનીષકુમાર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, બકુલભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, બકાભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, દશરથભાઈ પટેલ અને રમાજી પરમાર તેમજ પોગલુના અનિલભાઈ પટેલ, ચેતનકુમાર પટેલ, નરેન્દ્રકુમાર પટેલ અને ધનજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. ખેડૂતોએ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ખેડૂતોએ સોનાસણથી પોગલુ રોડ પર રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સઘન કરવાની રજૂઆત કરી છે. આ ઘટનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને સુરક્ષાની માગણી કરી રહ્યા છે.
ખેડૂતો રોષ; તસ્કરો ખેતરમાં ત્રાટક્યા બોરવેલ કૂવા પરથી 150 મીટરથી વધુ કેબલ ચોરાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાએક વર્ષથી પોલીસને હાથતાળી આપતો ઠગ જેલભેગો: સાબરકાંઠા LCBએ દબોચી લીધો
2 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ
2 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
5 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
1 અઠવાડિયા પહેલા
