રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ2 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

પાટણ; ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નો અંગે શુક્રવારે આવેદનપત્ર આપ્યું હતું. મહાસંઘે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી સરકારના તમામ સ્તરના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પ્રશ્નનું સમાધાન થયું નથી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તારીખ 12-13 જુલાઈ, 2025ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યસમિતિમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, ગુજરાતની સમગ્ર આંગણવાડીની બહેનો પોતાના પ્રશ્નોના સમાધાન માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. આ સત્યાગ્રહ 4 ઓગસ્ટ, 2025ના રોજ સોમવારે બપોરે 12થી 4 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન રેલી અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આંગણવાડી કર્મચારીઓએ વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફ થી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. મહાસંઘે આવેદનપત્રમાં આંગણવાડી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સામેલ કર્યા છે અને તેમના સમાધાન માટે આગ્રહ કર્યો છે. આંગણવાડી કર્મચારીઓ તેમના હક્કો માટે એકજૂટ થઈને આવાજ ઉઠાવવા માટે આ સત્યાગ્રહમાં જોડાશે.

સંબંધિત સમાચાર