રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા" મહોત્સવનો શુભારંભ

પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા" મહોત્સવનો શુભારંભ

મહારાષ્ટ્રને ઘેલું લગાડનાર ગણપતિ મહોત્સવ હવે ગુજરાત માં પણ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા""ની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઊઠયો છે. ત્યારે પાલનપુરમાં પણ ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે પણ આજે "ગોળાઈ કા રાજા"ની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. દાતા સુખડીયા સ્વીટ પરિવાર ના નિવાસ સ્થાનેથી ગણતપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ગુરુનાનક ચોક ખાતે પહોંચી હતી. જ્યાં ગોળાઈ કા રાજાનું સ્થાપન કરાયું હતું.  જોકે, કળિયુગમાં ગણપતિ આરાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. દુર્વા અને મોદક પ્રિય ગણેશજીની આરાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોઇ આજે ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી જિલ્લા સહિત સમગ્ર વિશ્વ કલ્યાણની પ્રાર્થના પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે કરી હતી. ત્યારે આજ થી પાંચ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શહેરીજનો ગણપતિ બાપાની ભક્તિમાં તલ્લીન થશે. આજે ગણપતિ સ્થાપન બાદ 5 દિવસ સુધી રાત્રે ભજન સત્સંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ઓપરેશન સિંદૂર ની થીમ પર ઝલક રજુ કરવામાં આવશે.શહેરની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર