રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 માર્ચ, 2025| Super Admin

પાલનપુર; બેઘર બનેલા પીડિત પરિવારો ને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ

પાલનપુર; બેઘર બનેલા પીડિત પરિવારો ને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારના પાકા મકાનના દબાણ હટાવાયા હતા. ત્યારે બેઘર બનેલા પરિવારજનો ની વ્હારે ચડતા વિપક્ષ કોંગ્રેસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુરના ગણેશપરામાં તાજેતરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારો ના ઘર પર બુલડોઝર ફરી વળતા બાળ બચ્ચાઓ અને ઘર વખરી સાથે પરિવારો બેઘર બન્યા હતા. છેલ્લા 50 વર્ષોથી વસવાટ કરતા પરિવારોનો માળો અચાનક વિખેરાઈ જતા સંવેદનશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ગતરોજ પાલિકાના બોર્ડમાં ગરીબોના દબાણો દૂર કરવાનો વિરોધ કરનાર વિપક્ષે ગણેશપુરામાં બેઘર લોકોની મુલાકાત લીધી હતી. પાલિકાના વિપક્ષના નેતા જાગૃતિબેન સોલંકીએ અને આશાબેન રાવલે કલેકટરને લેખિત પત્ર લખી બેઘર લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી. અને માંગણી નહિ સંતોષાય તો કોંગ્રેસ પીડિત પરિવારો સાથે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર