રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા21 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણા; હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ ઘટના સ્થળે લઈ રિકન્ટ્રક્શન કર્યું

મહેસાણા; હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ ઘટના સ્થળે લઈ રિકન્ટ્રક્શન કર્યું

મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા નજીક ગત થોડા દિવસો અગાઉ થયેલી હત્યાના મામલે હત્યા નિપજાવી નાસી છુટવામાં સફળ રહેલા 4 હત્યારાઓ પૈકીના 3 હત્યારાઓને મહેસાણા બી ડીવીઝન પોલીસે ઊંઝા-સિદ્ધપુર હાઇવે પરથી કાર સાથે રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા તે તમામની સરખી સરભરા કરી આજ રોજ હત્યાનો બનાવ બન્યો હતો એ ઘટના સ્થળે લઈ જઈ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા પંચો સમક્ષ હત્યાના ગુનાનું પુનઃ નિરૂપણ કરાવી સમગ્ર હત્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને સ્થાનિકોમાં આવા અસામાજિક તત્વોનો ભય ઓછો થાય તે માટે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યાં શહેરીજનોમાં પોતાની ગુંડાગીરીનો આતંક ફેલાવી અને ખોટો ડર ઉભો કરનારા આવા લુખ્ખા તત્વોની જાહેરમાં સરભરા કરી શહેરીજનોમાં ફેલાયેલા ડરને દૂર કરવામાં આવતા મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસની સક્રિય કામગીરીને બિરદાવી પીઆઈ નિલેશ ઘેટિયાનો શહેરીજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણામાં ગત 15 એપ્રિલના રોજ રાત્રેના સમયે દીકરી સાથે એકટીવા પર સવાર થઈને નીકળેલા યુવક પર કારથી ટક્કર મારી ઘાતકી હથિયારો વડે 15 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી નાસી છૂટનાર અસામાજિક તત્વોને મહેસાણા બી ડીવીઝન પોલીસે ઊંઝા-સિદ્ધપુર હાઇવે પરથી કાર સાથે રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ હત્યા કેસમાં સંડોવાયેલા 4 હત્યારાઓ પૈકી 3 હત્યારાઓને પોલીસે પકડી પાડયા હતા જ્યારે હત્યાનો મુખ્ય આરોપી અને રાજકીય વગ ધરાવતો દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોર હજી પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર