રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 જુલાઈ, 2025| Super Admin

શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી

શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી

ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર હાલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો સહીત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે સરકાર તાત્કાલિક આ માર્ગનો સર્વે કરી નવો રોડ બનાવવા આ  વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. https://youtu.be/02HGVMn4NCM ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતું થાય છે. જેના કારણે ૧૫ દિવસ સુધી લોકોની અવરજવર બંધ થઈ જાય છે અને સતત પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. બીજી તરફ આ વિસ્તાર મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ આ રસ્તા પર વાહનો પણ ચાલી ન શકે એટલું પાણી ભરાઈ જાય છે. જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવા માટે જઈ શકતા ન હોઈ દિવસો સુધી દૂધ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત રસ્તાનું પાણી ખેતરોમાં પણ પ્રવેશે છે જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. જોકે, છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા રોડ બનાવવાનું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ ૧૫ વર્ષથી રોડ બનતો નથી. જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે.

સંબંધિત સમાચાર