રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

પાલનપુરમાં સરકારી કર્મચારી ઓએ યોજી કેન્ડલ માર્ચ; આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

પાલનપુરમાં સરકારી કર્મચારી ઓએ યોજી કેન્ડલ માર્ચ; આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લાના અલગ અલગ વિભાગો ના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ સાથે યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ 1500 જેટલા કર્મચારી ઓ એ જમ્મુ કાશ્મીર હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાલનપુરમાં 500થી વધુ કર્મચારી ઓ એ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકીઓ સામે સરકાર કડક માં કડક કાર્યવાહી કરે તેવી માંગ સરકારી કર્મચારીઓએ કરી હતી. તલાટી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો આ કેન્ડલ માર્ચ માં જોડાયા હોવાનું ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું. સરકારી આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સરકારે કડક પગલાં લેવા જોઈએ. કર્મચારીઓ સરકારના સાથે હોવાનું જિલ્લા તલાટી મહા મંડળના પ્રમુખ મહેશભાઈ ડેલએ કરી હતી.

સંબંધિત સમાચાર