રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા11 મે, 2025| Super Admin

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા
દેશની શાંતિ અને સુરક્ષા માટે વટીલા ધામ સુધીની પદયાત્રા; પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે દેશની શાંતિ અને સુરક્ષા ને લઈને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી છે. પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે દેશમા શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા હનુમાન ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના ગણેશપુરાના 40 જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે. ગણેશપુરાથી તિરંગા સાથે 16 કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વટીલા ધામ પહોંચશે. જ્યાં દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે તેવું યુવા અગ્રણી અશોક પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર