રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 જૂન, 2025| Super Admin

ગાદલવાડા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં; ગ્રામજનો દ્વારા નવીન બનાવવાની માંગ

ગાદલવાડા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં; ગ્રામજનો દ્વારા નવીન બનાવવાની માંગ
ગ્રામજનો દ્વારા જર્જરિત આગણવાડીને તોડી નવીન આંગણવાડી બનાવવાની માંગ; પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ ની જર્જરિત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોળી રહી છે.હાલ ચોમાસાની સીઝનમાં ગમે ત્યારે વધુ વરસાદ પડે તો જર્જરિત બનેલ આંગણવાડી ગમે ત્યારે જમીનદોસ્ત થવાની ભીતિ સેવાઇ રહી છે. અનેક રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ૩૦ થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિણામે, નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે. આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.ગ્રામજનોનો દ્વારા નવીન આંગણવાડી બનાવવાની માંગ કરાઈ છે.

સંબંધિત સમાચાર