રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ3 જુલાઈ, 2025| Super Admin

પાટણ-બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ રેલી યોજી

પાટણ-બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ રેલી યોજી
પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી; ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનનો મુદ્દો વિકટ બન્યો છે. ત્યારે ગુરૂવારે આ મામલે ખેડૂતોએ પાટણ ના સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈ પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો એ આપેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે અમો ખેડૂતોની મુખ્ય માગણી છે કે તેમની જમીનનું વળતર માર્કેટ વેલ્યુ અને નવી જંત્રી પ્રમાણે આપવામાં આવે. તેઓ સરકારની જમીન સસ્તા ભાવે સંપાદન કરવાની નીતિનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ પોતાના પરિવાર અને પશુધન સાથે ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરશે. તેમનો "જીવ જશે પણ જમીન નહીં આપીએ"નો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.તેઓએ માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરાવી, સૂચિત જંત્રી મુજબ વળતર ચૂકવવાની માગણી કરી રહ્યા હોવાનો આવેદનપત્ર મા ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર