રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 એપ્રિલ, 2026| Super Admin

ભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો

ભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો


સોસાયટીમાં લગાવ્યા બહિષ્કારના બેનરો

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો છે અને નેતાઓ ઘરે-ઘરે જઈને મતોની આજીજી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાભરની વિજયનગર સોસાયટીના રહીશોએ તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.ભાભર-દિયોદર ત્રણ રસ્તા સર્કલથી સોસાયટી તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે નરકાગારમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે.

રોગચાળો ફેલાવાની ભીતિ

ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે, છતાં કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને હવે રહીશોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. સોસાયટીમાં ઠેર-ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગટરનો પ્રશ્ન તાત્કાલિક નહીં ઉકેલાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ પક્ષના ઉમેદવારને પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર