રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા; સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું

ધાનેરા; સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું
માનવતા ભર્યું પગલું: તળાવનું પાણી સુખાઇ જાય એ પહેલાં સ્થાનિક સરપંચની રજૂઆત થી તળાવમાં પાણી નાખતા હજારો અબુલ જીવો ને મળ્યું જીવન દાન ધાનેરા તાલુકાના રામપુરછોટા ગામના તળાવ મા સૌથી વધારે કાચબા ના જીવનો વસવાટ ધાનેરા તાલુકાના રામપુરછોટા  ગામના તળાવમાં પાણી સુકાઇ ગયા હતા. જેના પગલે શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ સતીષભાઈ પુરોહિત એ ધાનેરા વહીવટી વડા ને રજૂઆત કરતા પાઇપ લાઈન માંથી પાણી આપતા તળાવ મા નવા નીર આવ્યા છે. ધાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત સિંચાઇ ના પાણી ની છે પરંતુ સરકાર ધાનેરા તાલુકા થી નારાજ હોવાના કારણે મુખ્ય રજૂઆત હજુ સુધી પૂરી કરવામાં આવી નથી જેના કારણે ધાનેરા તાલુકા ના તમામ તળાવ સૂકા પડ્યા છે. જેના પગલે ગત 26 જાન્યુઆરી ના રોજ ધાનેરા તાલુકાના ધરર્ણોધર ગામ ખાતે તાલુકા કક્ષાનાં ધ્વજવંદન સમારોહ મા ધાનેરા તાલુકાના વહીવટી વડાની સાથે વહીવટી તંત્ર હાજર હોવાથી શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ જેમાં રામપુરછોટા ગામ પણ આવે તે જેથી સરપંચ દ્વાર રજૂઆત કરતા એજ દિવસે વન વિભાગ ના અધિકારીએ પોતાની ટીમ સાથે રામપુરછોટા ગામના તળાવની મુલાકાત લીધી હતી. જેમાં પાણી નાં હોવાના કારણે કાચબા ના જીવ જોખમ મા મુકાઈ રહ્યા હતા. જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવ મા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હજારો પાણી નાં જીવનો અને કાચબા ને નવું જીવન દાન મળ્યું છે.ઉનાળો હોય કે શિયાળો રામપુરછોટા  ગામ ના તળાવ મા પાણી સુકાય એની સાથે રજૂઆત થતી હોય છે. જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત હરકતમાં આવી તળાવ પાણી છોડતા તળાવ મા નવા નીર આવ્યા છે. શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ એ પાણીની સમસ્યા થી લઈ રામપુરછોટા નાં તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્ર નો આભાર માન્યો છે.

સંબંધિત સમાચાર