દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સોને રોકવા જતા કોન્ટ્રાક્ટર પુત્રની હત્યા

પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા
કોન્ટ્રાક્ટરના પુત્રને પાણીમાં ધક્કો મારી મોત નીપજાવ્યું હોવાનું સામે આવ્યું
દાંતીવાડા ડેમમાં ફિશિંગ નો કોન્ટ્રાક્ટ ચલાવતા વ્યક્તિના ધ્યાને આવ્યું કે ગેરકાયદેસર માછીમારી કરવામાં આવી રહી છે જેથી તેને રોકવામાં આવતા કોન્ટ્રાક્ટર ના પુત્રને પાણીમાં ધક્કુ મારી હત્યા કરવામાં આવી હતી. બે દિવસના અંતે મૃતદેહને શોધી આ અંગેની ફરિયાદ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાંતીવાડા ડેમમાંથી માછીમારી કરવા માટે નો મુસ્તુફાભાઈ માકણોજીયાનો કોન્ટ્રાક્ટ હતો તે સમય દરમિયાન ચાર શખ્સો ગેરકાયદેસર ફિશિંગની કામગીરી કરતા હોવાનું મુસ્તુફાભાઈના ધ્યાને આવતા તેમના દ્વારા રોકવામાં આવ્યા હતા. તે સમયે ચાર શખ્સોએ તેમની બોટમાં કોન્ટ્રાક્ટરના પુત્ર મકસુદને ખેંચી લાવી પાણીમાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બહાર ન આવવા દેતા તેનું મોત થયું હતું જેથી પોલીસે એસ ડી આર એફ ની મદદથી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો આ અંગેની ફરિયાદ મુસ્તફાભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર અને અમીરગઢ પીઆઇ બી.ડી.ગોહિલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી જેથી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં એક શખ્સ અન્ય ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આ અંગે વધુ તપાસ કરી છે.
ઝડપાયેલ આરોપીઓ
1 નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ હેમસીહ ચૌહાણ,રહે રામપુરા,(કરઝા) તા.અમીરગઢ
2 યુવરાજસિંહ અશોકસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે,રામપુરા(કરઝા)
3 કરણસિંહ જેણુંસિંહ અનુપસિંહ વાઘેલા રહે રામનગર તા.દાંતીવાડા,
4 સગીર
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
18 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
