રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ3 ઑગસ્ટ, 2025| Super Admin

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરતાં કેબિનેટ મંત્રી

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરતાં કેબિનેટ મંત્રી

માં સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરાઈ; સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે રવિવારે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલ નવા નીરના વધામણાં કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ રીવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે. જેને લઇને  આજે અમે માં સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરી છે. આવનાર સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં  ૩૬૫ દિવસ પાણી ભરાયેલ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

સંબંધિત સમાચાર