રખેવાળ
બ્રેકિંગ
પાટણ1 જૂન, 2025

સિદ્ધપુર ખાતે રૂ.૪.૧૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાજપૂત

સિદ્ધપુર ખાતે રૂ.૪.૧૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાજપૂત
નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની  પ્રગતિ થશે; કેબિનેટ મંત્રી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સિદ્ધપુર ખાતે શનિવારે  કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રૂ.૪.૧૪ કરોડના વિકાસ ના કામોનું લોકાર્પણ તેમજ રૂ.૮ કરોડથી વધુના કામોનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ સરસ્વતી નદીમાં તૈયાર થઈ રહેલ રીવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સિદ્ધપુર ખાતે રૂ.૪ કરોડથી વધુના વિકાસના કામોનું લોકા ર્પણ તેમજ રૂ.૮ કરોડથી વધુના કામોનું ખાર્તમુહૂર્ત કરવામા આવ્યું છે.  નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની  પ્રગતિ થશે તેમજ વિસ્તારમાં ધરોઈ અને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ થવા આવી છે. આમ આ વિસ્તાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સિદ્ધપુર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

સંબંધિત સમાચાર