રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ25 જૂન, 2025| Super Admin

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની શુભકામનાઓ વ્યક્ત કરતા મુખ્યમંત્રી

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની શુભકામનાઓ વ્યક્ત કરતા મુખ્યમંત્રી
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો બાબતે પણ મુખ્યમંત્રીએ ઘટતું કરી આપવાની હૈયાધારણા આપી પાટણ શહેર માંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને મંગળવારે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને તાજેતરમાં હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વરણી થયેલ કે.સી.પટેલ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત સમાજ આગેવાન તેમજ પાટણ શહેરના સિધ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિના પ્રતિકો પુસ્તક મુખ્યમંત્રી ને અપૅણ કરી પાટણ ખાતે થી નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા મા પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તો આ શુભેચ્છા મુલાકાત મા જોડાયેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી એ પણ શ્રી પદ્મનાભ મંદિર ના કેટલાક પ્રશ્નોની યાદી લેખિતમાં મુખ્યમંત્રી ને આપી રજુઆત કરી હતી.

સંબંધિત સમાચાર