રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયા-પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ


(જી.એન.એસ) તા. ૨૪

ગાંધીનગર/ભાવનગર,

છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે.‌ આ સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ અંદાજે રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયામાં આવ્યા છે.આ ૧૨ યોજનાઓમાં મુખ્યત્વે બુધેલ, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા‌ અને શિહોરનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો‌ જવાબ અંગે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, ભાવનગરમાં ચોરવડલા ફેઝ -૨ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૪ ગામને નર્મદા આધારિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ ઉપરાંત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ આ યોજના અંતર્ગત પાલીતાણાના ૫૭, ગારિયાધારના ૧૪ , શિહોરના ૦૭ અને ઉમરાળાના ૦૩ એમ કુલ -૮૧ ગામને‌ પાણી આપવામાં આવે છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજનામાં કુલ -૩૯ ગામ અને એક શહેરને આવરી લેવામાં આવશે. જેમાં બગસરા તાલુકાના ૩૩ ગામ અને એક શહેર,અમરેલી તેમજ કુકાવાવના ૩-૩ ગામને સમાવી લેવામાં આવશે તેમ મંત્રીએ ધારાસભ્યશ્રી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ગૃહમાં જણાવ્યું હતું.



Source link

સંબંધિત સમાચાર