સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત “કિસાન મહાપંચાયત” માં ભાજપ સરકાર સામે જોરદાર રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ખેતરોમાં નખાતા ગેરકાયદેસર વીજ થાંભલાના વિરોધમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આગામી ૫ જુલાઈએ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસ પર ઉતરવાનું મોટું એલાન કર્યું છે.
કિસાન મહાપંચાયતને સંબોધતા ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, કંપનીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે મીટિંગ થઈ ચૂકી છે અને ખેડૂતોની જમીન પર ૧૦૦ જેટલી હાઈટેન્શન લાઈન હેઠળ દોઢ લાખ જેટલા થાંભલા નાખી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમણે મુખ્યમંત્રી પાસે સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવી ખેડૂતોને નફામાં ભાગ આપવાની માંગ કરી છે. તો બીજી તરફ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના સત્રનો ઉલ્લેખ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ખુદ કૃષિ મંત્રી ખેડૂતોની મજાક ઉડાવે છે કે આટલી સમસ્યાઓ છતાં મત તો ભાજપને જ મળે છે! મોટી કંપનીઓને આંદોલન વગર પાણી મળે છે જ્યારે સામાન્ય જનતાએ વલખાં મારવા પડે છે.
સુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ

સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદમાંથી રદ થયેલી ₹39 લાખની જૂની નોટો જપ્ત, પોલીસે 2 શખ્સોને દબોચ્યા
1 દિવસ પહેલા
ગુજરાતGISFS ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે મુખ્ય કાર્યકારી અધિકારીને રજૂઆત
2 દિવસ પહેલા
ગુજરાતનાયબ મુખ્યમંત્રીએ 23 ભીખ માંગતા બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
3 દિવસ પહેલા
ગુજરાતડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ
5 દિવસ પહેલા
