રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ1 જૂન, 2025| Super Admin

પાટણમાં ૨૩ જેટલા ધાર્મિક સ્થળો ના દબાણો દૂર કરવા પાલિકા દ્વારા આપેલ નોટિસના પગલે આપ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું

પાટણમાં ૨૩ જેટલા ધાર્મિક સ્થળો ના દબાણો દૂર કરવા પાલિકા દ્વારા આપેલ નોટિસના પગલે આપ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું

એક પણ ધાર્મિક સ્થળ અને નુકસાન થશે તો જલદ કાર્યક્રમો આપવાની ચિમકી પાટણમાં ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસ મામલે શનિવારે આપ પાર્ટીએ નગરપાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી ચિફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું અને ચિમકી ઉચ્ચારી હતી કે જો એક પણ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે તો જલદ આંદોલન કરવામાં આવશે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકાએ શહેરના ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યુ હતું. નગરપાલિકાએ આ ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટને ૧૫ દિવસની અંદર જમીનની માલિકી અને બાંધકામની મંજૂરીના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. જો આ સમયમર્યાદામાં પુરાવા રજૂ નહીં થાય તો દબાણો દૂર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ એક ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. અહીં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે અને સૌ સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. શહેરમાં બધા ધર્મોના અનોખા ધાર્મિક સ્થાપત્યો આવેલા છે, જે પાટણનું ગૌરવ છે. પાર્ટીએ માંગ કરી છે કે નગરપાલિકાએ આપેલી તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે. કોઈપણ ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચશે તો આમ આદમી પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

સંબંધિત સમાચાર