પાલનપુરમાં ભીષણ આગની ઘટના નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે.

ત્રણ દુકાનો બળીને ખાખ: પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં લાગી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની G લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાથથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે.

નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ રાહદારીઓ સીટી પોલીસના જવાનોને કરતા સીટી પોલીસના જવાનોમાં દોડધામ મચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.