પરણિતાને તેના પિતાની જમીનના મુદ્દે ત્રાસ આપી તલાક આપી દેવાની ધમકી ઘરમાંથી કાઢી મુકતા ફરીયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના શેરપુરા ગામની પરણિતાને તેના પિતાની જમીનના મુદ્દે ત્રાસ આપી તલાક આપી દેવાની ધમકી આપી દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકતા ફરીયાદ નોંધાવી હતી.

શેરપુરા (મજાદર) સુન્ની મદરેસાની બાજીમાં રહેતા ઇમરાનાબેન વડનગરાના લગ્ન 2017માં વડગામના શેરપુરાના આમીન સાથે થયા હતા.લગ્નના અમુક વર્ષ પરણિતાને સારીરીતે રાખતા હતા.ત્યારબાદ તેમના પતિને તેમના સાસરીયાઓ દ્વારા ખોટી રીતે ચઢમણી કરતા પતિ અને સાસરીયાઓ દ્વારા શારિરીક માનસીક ત્રાસ આપી તેમના પિતાની મજીયારી જમીનમાંથી તેમના ફોઇનું નામ કાઢી દેવડાવવા માટે દબાણ કરવામાં આવતુ હતુ. તેમજ જમીન બાબતે તલ્લાક આપવાની ધમકી આપી દીકરી સાથે કાઢી મુકી હતી. જેથી પરિણીતાએ પતિ આમીનભાઇ યાસીનભાઇ વડનગરા તેમજ અયાઝભાઇ યાસીનભાઇ વડનગરા,અકબરભાઇ ગુલામભાઇ વડનગરા અને અબ્દુલસલામ ગુલામભાઇ વડનગરા સામે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.