![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/08.jpg)
હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તોડવાનું કાર્ય શરૂ કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારને લઈને ચાર મહિના બાદ ગર્ભ ગૃહ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને દાદાના શિવલિંગને સુરક્ષિત કરવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભુ ભોલેશ્વર દાદાનું મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને દરરોજ પહોંચે છે. ત્યારે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરને જીર્ણોદ્ધાર માટે એક કરોડથી વધુ રકમ ફાળવવા આવ્યા બાદ કામગીરી શરૂ થઇ હતી અને પૌરાણિક કાચનું મંદિરનો મંડળ દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અધિક અને શ્રાવણ માસ બાદ આસો અને દિવાળીને લઈને કામ કાજ બંધ કરવામાં આવ્યું હતું. જે કામ ફરી ચાર મહિના બાદ શરૂ થયું છે. તે પહેલાં સ્વયંભુ ભોલેશ્વર દાદાના શિવલિંગને સુરક્ષિત રીતે લોખંડની પેટી બનાવી ઢાકી દીધું છે. જ્યાં દરરોજ સવારે મંદિરના પુજારી તરુણ ચોબીસા દ્વારા પુજાના અર્ચન કરીને બંધ કરી દેવામાં આવે છે.
પૌરાણિક મંદિરનો ગર્ભગૃહ તોડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અગામી ગણતરીના દિવસોમાં ગર્ભગૃહ દૂર થઇ જશે. ત્યારબાદ મંદિરનો નીચેનો ભાગ પણ પ્રવેશદ્વારના સમકક્ષ કરીને મંદિરના બનાવવાની કામગીરી ધાંગ્રધા પથ્થરથી શરૂ થશે. ગર્ભગૃહ તોડવાનું કામ ચાલતું હોવાને લઈને મંદિરમાં દાદાની પૂજા અર્ચના ભક્તો માટે સવારે 8 વાગ્યા બાદ બંધ કરવામાં આવી છે. જોકે મંદિરના પૂજારી સવારે પૂજન અર્ચન કરીને મંદિરને બંધ કરી દે છે.