બનાવની જાણ ફાયર વિભાગને થતાં સ્ટાફે ધટના સ્થળે આવી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી
પાટણના સિદ્ધિ સરોવરમાં રવિવારે મોડી સાંજે પ્રજાપતિ સમાજના યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા પરિવારજનો સહિત સમાજમાં દુખની કાલિમા છવાઈ જવા પામી હતી. પાટણના સિદ્ધિ સરોવર સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતું બન્યું છે, જ્યાં જીવનથી નિરાશ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવતા હોવાના અસંખ્ય બનાવો બન્યા છે.
ત્યારે રવિવારે મોડી સાંજે પાટણમા રહેતા પ્રજાપતિ પરિવારના એક યુવાને અગમ્ય કારણોસરસિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ કોર્પોરેટર ભરત ભાટિયાને થતાં તેઓ દ્રારા આ ધટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભારે જહેમત બાદ સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





