રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ4 મે, 2026| Super Admin

સિદ્ધિ સરોવરમાં યુવાને લગાવી મોતની છલાંગ: પાટણમાં અરેરાટી વ્યાપી

સિદ્ધિ સરોવરમાં યુવાને લગાવી મોતની છલાંગ: પાટણમાં અરેરાટી વ્યાપી

બનાવની જાણ ફાયર વિભાગને થતાં સ્ટાફે ધટના સ્થળે આવી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી

પાટણના સિદ્ધિ સરોવરમાં રવિવારે મોડી સાંજે પ્રજાપતિ સમાજના યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા પરિવારજનો સહિત સમાજમાં દુખની કાલિમા છવાઈ જવા પામી હતી. પાટણના સિદ્ધિ સરોવર સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતું બન્યું છે, જ્યાં જીવનથી નિરાશ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવતા હોવાના અસંખ્ય બનાવો બન્યા છે. 

ત્યારે રવિવારે મોડી સાંજે પાટણમા રહેતા પ્રજાપતિ પરિવારના એક યુવાને અગમ્ય કારણોસરસિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ કોર્પોરેટર ભરત ભાટિયાને થતાં તેઓ દ્રારા આ ધટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભારે જહેમત બાદ સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર