રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા11 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે 'ઝેર' પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?

ડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે 'ઝેર' પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?
બનાસકાંઠાનું આર્થિક પાટનગર ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું હબ બન્યું  અમુલ, સાગર અને બનાસ જેવી બ્રાન્ડનું પણ ડુપ્લીકેટિંગ થતું હોવાની વ્યાપક રાવ બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ગણાતા ડીસા શહેરની છબી હવે રાજ્યભરમાં ડુપ્લીકેટ સામાનના કેન્દ્ર તરીકે ઉપસી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડીસાના જી.આઈ.ડી.સી. વિસ્તાર, સીમ વિસ્તારના ખેતરો અને રહેણાંક મકાનોમાં ધમધમતી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીઓએ જોર પકડ્યું છે. જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા આ નેટવર્ક સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ​ચર્ચાઓ મુજબ, ડીસામાં માત્ર હલકી ગુણવત્તાનું ઘી જ નથી બનતું, પરંતુ નામચીન બ્રાન્ડ્સ જેવી કે અમુલ, સાગર અને બનાસ જેવી કંપનીઓના પેકિંગ અને લોગોનો ઉપયોગ કરી આબેહૂબ ડુપ્લીકેટ ઘી તૈયાર કરવામાં આવે છે. આ નકલી ઘીને અસલ ગણાવીને રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ડીસામાં તૈયાર થતું આ જોખમી ઘી મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસો મારફતે રાજસ્થાનના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે કેટલાક મોલ અને પાર્લરોમાં પણ આ ભેળસેળિયા વેપારીઓ પોતાની વગ વાપરીને બેરોકટોક વેચાણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે. ​સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ફૂડ વિભાગની રહેમનજર તળે જ આ આખું કૌભાંડ લાંબા સમયથી ફૂલીફાલી રહ્યું છે.જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે, ત્યારે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાને બદલે આવા એકમો પર દરોડા પાડી, તેને સીલ કરી કડક દાખલારૂપ કાર્યવાહી કરે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.  

સંબંધિત સમાચાર