વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો

બાંગલાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો
બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિધ્ધપુર ચારરસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રોષ વ્યક્ત કરી બાંગ્લાદેશનું પુતળા દહન કરી સરકાર પાસે ઉગ્ર માંગ કરી હતી. જો સરકાર દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર થતાં અત્યાચાર રોકવા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર અને જલદ આંદોલન સાથે ના કાર્યક્રમ આપવામાં આવશે. અને આ આંદોલન દરમિયાન કોઈ અધટિત ધટના સજૉશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી બાંગ્લાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. પાટણના સિધ્ધપુર ચાર રસ્તા નજીક આયોજિત કરવામાં આ કાર્યક્રમમાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
2 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમ્યાન 700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો
4 દિવસ પહેલા
