રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ24 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

વેપારીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ શહેરમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે એક સોની વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેપારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સોની વેપારીએ નોધાવેલ ફરિયાદ મુજબ, પાટણના જલારામ ફ્લેટમાં રહેતા મયુરભાઈ ગંગારામદાસ સોનીએ વર્ષ ૨૦૨૨ માં નીલેશભાઈ ગીરીશભાઈ સોની પાસેથી ૩ કિલ ૫૧૭ ગ્રામ ચાંદી જાગડ પર લીધી હતી.આ ચાંદીના હિસાબ પેટે રૂ. ૨.૪૦ લાખ ચૂકવવાના બાકી હતા.

ગત તારીખ ૧૮ એપ્રિલ, ૨૦૨૬ નારોજ રાત્રિના ૧૨.૧૫ વાગ્યાના અરસામાં નીલેશભાઈ સોની, ધાર્મિક રજનીકાંત સોની અને ધાર્મિક ભુપેન્દ્રભાઈ સોની ફરિયાદીના ઘર નીચે આવ્યા હતા. તેમણે ફોન કરીને મયુરભાઈને નીચે બોલાવ્યા અને બાકી રકમની માંગણી કરી હતી.મયુરભાઈએ હાલમાં પૈસા ન હોવાનું અને સગવડ થયે ચૂકવી દેવાનું જણાવતા નીલેશભાઈ સોની ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા.વેપારીએ જાહેરમાં હોબાળો ન કરવા અને શાંતિથી વાત કરવાનું કહેતા મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ મયુરભાઈ સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેમને માથાના ભાગે ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું.આ સમયે મયુરભાઈની પત્ની અને દીકરીઓ વચ્ચે પડતા તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. અન્ય બે શખ્સોએ પણ વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાટણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર