હારીજ પંથકના એક ગામમાં એક સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા હારીજ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ફરિયાદ મુજબ, અશ્વિન જયંતિજી ઠાકોર, સુરેશજી સવધાનજી ઠાકોર અને પ્રહલાદજી સોમાજી ઠાકોર નામના ત્રણ શખ્સો સામે આરોપ છે. આશરે બે વર્ષ પહેલા સગીરા અશ્વિન જયંતિજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપીએ મોબાઈલ ફોન પર વાતચીત શરૂ કરી અને આશરે દોઢ વર્ષ પહેલા તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.આશરે દોઢ વર્ષ પહેલા સગીરા સુરેશજી સવધાનજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપી સુરેશજીએ પણ સગીરા સાથે અવાર
નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ આશરે એક વર્ષ પહેલા સગીરા પ્રહલાદજી સોમાજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. પ્રહલાદજીએ પણ સગીરા સાથે વાતચીત કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.આ શારીરિક સંબંધોના કારણે સગીરા આશરે આઠ માસની ગર્ભવતી બની હતી. આ મામલો સામે આવતા હારીજ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-64(2)(એમ) તથા પોક્સો એક્ટ 2012 ની કલમ-5(એલ), 5(જે)(ii), 6, 11(4) અને 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





