રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય28 ડિસેમ્બર, 2024| Super Admin

રાજધાની દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવશે

રાજધાની દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવશે

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું દિલ્હી એમ્સમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. પીએમ મોદી સહિત દેશના તમામ દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ હવે મોદી સરકારે ડૉ.મનમોહન સિંહને મોટું સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર દેશની રાજધાની નવી દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પાસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સમાધિ માટે જગ્યાની માંગણી કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી અને તેમની પાસે સ્મારક માટે જગ્યાની માંગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના પાર્થિવ દેહને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયથી સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

સંબંધિત સમાચાર