રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ12 મે, 2026| Super Admin

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના

ઝીરો વીજ બિલ માટે કુલપતિની અધ્યક્ષતામાં નિષ્ણાતોની બેઠક યોજાઈ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતની પ્રથમ 'સોલાર યુનિવર્સિટી' બનવા જઈ રહી છે. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી કેમ્પસને સોલાર પેનલોથી સજ્જ કરવાની સક્રિય કામગીરી શરૂ થઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીને 100 ટકા સોલાર ઊર્જા યુક્ત બનાવી વીજ બિલ શૂન્ય કરવાનો છે.

યુનિવર્સિટી કેમ્પસમાં વહીવટી ભવન સહિત અંદાજે 19 જેટલા બિલ્ડીંગો આવેલા છે, જેમાંથી કેટલાક પર હાલમાં સોલાર સિસ્ટમ કાર્યરત છે. સમગ્ર કેમ્પસને ઝીરો વીજ બિલ તરફ લઈ જવા માટે કુલપતિ પ્રો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં જેટકો,યુજીવીસીએલ, જેડા અને સોલાર નિષ્ણાતોની એક ખાસ બેઠક ગતરોજ યોજાઈ હતી.આ બેઠકમાં યુનિવર્સિટીને સંપૂર્ણપણે સોલારયુક્ત બનાવવા માટે જરૂરી ટેકનિકલ બાબતો, સરકારની સહાય યોજનાઓ અને સીએસઆર ફંડ મેળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે 4 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટી યુનિવર્સિટીના વીજ વપરાશ અને બિલ્ડીંગોના ધાબા પર ઉપલબ્ધ જગ્યાનું મૂલ્યાંકન કરી વિગતવાર પ્રપોઝલ તૈયાર કરશે.

યુનિવર્સિટીના બાંધકામ વિભાગના એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આગામી 6 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર