બંધ મકાનનું તાળું તોડી રોકડ, ચાંદીના સિંક્કાની ચોરી કરી તસ્કરો ફરાર થયા
પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ ને પડકાર ફેક્યો છે. તસ્કરોએ મકાનનું તાળું તોડી મકાનમાંથી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં રહેતા મકાન માલિક મુર્તુઝા ઝાકીર સાલેને તેમના પાટણ સ્થિત બંધ ઘરના તાળા તૂટેલા હોવાની જાણ પાડોશી દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક પાટણ પહોંચ્યા હતા.
પાટણમાં પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાન માંથી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધીને ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.





