નાગરિકો 17 થી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઇન માહિતી નોંધાવી શકશે
સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણના (સેલ્ફ એન્યુમરેશન) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રથમ નાગરિક તરીકે પોતાની વિગતો નોંધાવીને આ ડિજિટલ સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારની આ ઓનલાઇન પહેલ 17 મે થી 31 મે દરમિયાન કાર્યરત રહેશે.
આ પહેલ હેઠળ નાગરિકો ઘરે બેઠા પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા સમયની બચત કરશે. અને માહિતીની ચોકસાઈ તથા ગોપનીયતા જાળવવામાં મદદરૂપ થશે. દેશના વિકાસ અને સુશાસન માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વસ્તી ગણતરી 2027માં સક્રિય સહભાગી બનવા અને સ્વગણના દ્વારા પોતાની વિગતો ઓનલાઇન નોંધાવવા માટે કેબિનેટ મંત્રી દ્રારા આહવાન કરવામાં આવ્યું હતું. વસ્તી ગણતરી દ્વારા એકત્રિત થતી માહિતી સરકારને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેણાંક સહિતની જનકલ્યાણની યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં સીધી રીતે મદદરૂપ બને છે. વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવાના ઉદ્દેશ્ય સાથે આ 'સ્વગણના’ અભિયાન શરૂ કરાયું હોય સૌએ સહકાર આપવા જણાવાયું છે.





