રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ12 મે, 2026| Super Admin

રાધનપુરમાં સનસનાટી: આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસ તપાસનો ધમધમાટ

રાધનપુરમાં સનસનાટી: આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસ તપાસનો ધમધમાટ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વહેલી સવારે એક આધેડનો લોહી લુહાણ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ મૃતદેહ રાધનપુરના મશાલી રોડ પર આવેલી કેનાલ પાસેથી મળી આવ્યો હતો.

 સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરતા રાધનપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકની ઓળખ મશાલી ગામના રહેવાસી બચુભાઈ રાવળ તરીકે થઈ છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં બચુભાઈને કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર