રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ22 જૂન, 2025| Super Admin

સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ

સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ
વાલીઓ અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક બદલી ની માગ કરી આચાર્ય એ પોતાના પરના આક્ષેપો ને પાયા વિહોણા ગણાવી તાળાબંધી બદલ કાયદેસરની કાયૅવાહી કરવા જણાવ્યું; પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય  વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી. આ બાબતે મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામની રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય ની તાનાશાહી સાથે વિધાર્થી સાથે કરાતા અસભ્ય વાણી વિલાસ ને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પરેશાન બન્યાં હોય વિધાર્થીઓ દ્રારા આ બાબતે ની સધળી હકીકત તેઓના વાલીઓ અને ગ્રામજનોને જણાવતાં શુક્રવારે વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી શાળાને તાળાબંધી કરી આચાર્ય ની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી. શાળાના આચાર્યની તાનાશાહીની સાથે સાથે આચાર્ય દ્વારા SMC સભ્યોના રજીસ્ટરમાં પણ ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે શાળાના આચાર્ય ને પુછતાં તેઓએ પોતાના ઉપર વાલીઓ અને ગ્રામજનો દ્રારા કરાયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી શાળાને તાળાબંધી કરવા બદલ કાયદેસરની કાયૅવાહી કરાશે તેવું જણાવ્યું હતું. સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળા ના આચાર્ય ની તાનાશાહીને લઇ શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો એકત્ર થતાં ચકચાર મચી જવા પામી હતી.

સંબંધિત સમાચાર