પાટણના હાંસાપૂર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત

પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માંગ ઉઠી
પાટણ શહેરના હાંસાપૂર વિસ્તારમાં સમર્પણ વિલા, ગણેશ વિહાર, રામવિલાસ, ગણેશ ધામ,આમિત્રી, રામદેવ તથા સુરમ્ય જેવી અનેક સોસાયટી આવેલ છે. ત્યારે આ સોસાયટીના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહેવાના કારણે રહીશો તથા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ પર પાણી ભરાઈ રહેવાથી રોડની હાલત પણ એકદમ ખરાબ બની છે.તો તાજેતરમાં પાણીની પાઈપલાઈન તૂટવાના કારણે રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેતું હોય જેના કારણે માગૅ પરથી પસાર થતાં વાહનચાલકો,વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો સહિત ના રાહદારીઓને આવન- જાવન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માગૅ પર પાણી ભરાવાથી મચ્છરોની ઉત્પત્તિ વધવાની સાથે રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ પ્રબળ બની છે. તો ચોમાસાની ઋતુમાં તો અહીંયા સતત વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણી ભરાવાની સમસ્યા નું નિરાકરણ લાવે નહિ તો ના છુટકે વિસ્તારના લોકોને પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
22 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
23 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
4 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
