રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા7 જુલાઈ, 2025| Super Admin

ઊંઝામાં આવેલ ઓવર બ્રિજમાં વારંવાર ગાબડા પડતા મુખ્યમંત્રીને રજૂઆત

ઊંઝામાં આવેલ ઓવર બ્રિજમાં વારંવાર ગાબડા પડતા મુખ્યમંત્રીને રજૂઆત
ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત; ઊંઝા શહેરમાં વિસનગર રોડ પર આવેલ ઓવરબ્રિજ પર વારંવાર ગાબડા પડતા ઓવરબ્રિજનું ક્વોલિટી કંટ્રોલમાં ઇન્સ્પેક્શન કરવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે મત વિસ્તારના ઊંઝા શહેરમાં મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવેથી વિસનગર જવા માટે ઓવરબ્રિજ આવેલો છે. સદર ઓવરબ્રિજ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગાબડા પડી રહ્યા છે અને ઓવરબ્રિજની મજબુતી માટે પાથરવામાં આવેલ ખીલાસરીનો ભાગ ખુલ્લો પડી રહ્યો છે. જેના પર તંત્ર દ્વારા વારંવાર થીગડા મારી સમારકામ કરવામાં આવે છે. સદર ઓવરબ્રિજ પર વરસાદની સિઝનમાં સમારકામ કરેલ થીગડા ખુલ્લી જાય છે અને ખીલાસરીનો ભાગ ખુલ્લો થઇ જાય છે અત્યારે પણ ઓવરબ્રિજ પર આ જ પરિસ્થિતિ થવા પામેલ છે. તાજેતરમાં ઊંઝા શહેરમાંથી પસાર થતા મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવે પરના ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર તૂટીને નીચે પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. આથી મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવેથી વિસનગર જવા માટેના ઓવરબ્રિજ પર ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય તે પહેલા સત્વરે સદર ઓવરબ્રિજનું ક્વોલીટી કન્ટ્રોલમાં ઇન્સ્પેકશન કરાવી જો તેમાં ખામી જણાય તો સત્વરે સદર ઓવરબ્રિજને બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરાઇ છે.

સંબંધિત સમાચાર