રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય18 ડિસેમ્બર, 2024| Super Admin

દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને રાહત 7 દિવસના વચગાળાના જામીન

દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને રાહત 7 દિવસના વચગાળાના જામીન
રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. કોણ છે ઉમર ખાલિદ? 2020માં ધરપકડ ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. 2020માં દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન ના વિરોધ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020માં ખાલિદની ધરપકડ કરી હતી. ઉમર ખાલિદ પર શું છે આરોપ? જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ટોળાં ભેગા કરવા, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.

સંબંધિત સમાચાર