રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કમલેશભાઈ ભોજાભાઈ મકવાણાનું રાત્રિ ફરજ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ મકવાણા રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કાર્યરત હતા. તેઓ આશરે આઠ વર્ષથી નિયમિતપણે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની ડ્યુટી પર હાજર હતા ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ પાણીનાં સંપ (અંડરગ્રાઉન્ડ ટાંકો) માંથી મળ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
રાધનપુર : પાણી પુરવઠાના કર્મીનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુરમાં રૂ. 16.38 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી અપાઈ
3 કલાક પહેલા
પાટણરાધનપુર વડપાસર તળાવમાંથી એક જ દિવસમાં 2 મહિલાના મૃતદેહ મળતા ચકચાર
7 કલાક પહેલા
પાટણપાટણ પોલીસની સફળતા: ચોરીના મુદ્દામાલ સાથે 3 શખ્સો ગિરફ્તાર
7 કલાક પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: 47 કોલેજોમાં પ્રવેશ પર પ્રતિબંધ
7 કલાક પહેલા
