કુંભના મેળામાં જતા પાલનપુરના યાત્રિકો ને નડ્યો અકસ્માત

ગોબરી બ્રિજ પર ઇકો-કાર વચ્ચે અકસ્માત:5 ઘાયલ; પાલનપુરથી કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. ઇકો વાન અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પાલનપુરથી પ્રયાગરાજ કુંભના મેળામાં જવા નીકળેલા યાત્રાળુ ઓને ગોબરી ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની ઇકો વાન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે યાત્રિકોને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા. સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા તા. પંચાયત: ઉષાબેન ડાભી પ્રમુખ અને મંજુલાબા વાઘેલા ઉપપ્રમુખ બન્યા
8 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર તાલુકા પંચાયત પર પુનઃકબ્જો જમાવતી કોંગ્રેસ..!
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા તાલુકાના ૬ ગામોમાં ગંભીર જળ સંકટ : ખેતી-પશુપાલન કરતાં પરિવારો આર્થિક સંકટમાં મુકાયા
8 કલાક પહેલા
બનાસકાંઠાહડાદમાં કોંગ્રેસનો ભગવો લહેરાયો: તા. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે કોંગ્રેસ વિજેતા
8 કલાક પહેલા
