પાટણ શહેરના મોતીશા દરવાજા ચોકમાં ગંદા પાણીથી ત્રસ્ત લોકોએ આક્રોશ ઠાલવ્યો

પાલિકા પ્રમુખ સ્થળ પર આવ્યા પરંતુ લોકોની રજૂઆત સાંભળ્યા વિના જ રવાના થયાં
શહેરના મોતીશા દરવાજા ચોક ખાતે સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી.રાધનપુરી વાસ અને પીપળી વાસના રહીશોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉભરાય છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન થયું નથી. મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પ્રયાસ કર્યો. પરંતુ પ્રમુખે તેમની વાત સાંભળ્યા વિના જ સ્થળ પરથી નિકળી જતાં લોકોએ પાલિકા પ્રમુખ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ગટરની સમસ્યાને સ્વીકારી જણાવ્યું કે જીયુડીસી દ્વારા સર્વે કરી નવી પાઈપલાઈન નાખવામાં આવશે. સ્થાનિકોએ મોતીશા દરવાજા બહાર તોડી પાડેલા શૌચાલયના કાટમાળના વેચાણ અંગે પણ આક્ષેપો કર્યા હતો. આ અંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પ્રભારી મંત્રીના કાર્યક્રમ હોવાના કારણે મારે ત્યાં જવાનું હતું. એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી ત્યાં વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ હાજર હતા. એમને લોકોની વાત સાભળી નિરાકરણની હૈયાધારણા આપી હોવાનું જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણચાણસ્માના મંડલોપમાં ખેતરમાં ચારો ચરતા 8 પશુઓના મોતથી અરેરાટી વ્યાપી
15 કલાક પહેલા
પાટણપાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો: ભાવિક પટેલ પ્રમુખ બન્યા
15 કલાક પહેલા
પાટણપાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણના જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં આકસ્મિક આગ લાગતા અફડાતફડી મચી
2 દિવસ પહેલા
