રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા22 એપ્રિલ, 2025| Super Admin

ડીસાના છોટાપૂરા ગવાડી વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગટરો ન બનતા પ્રજાને પડતી હાલાકી : રોગચાળો ફેલાવાનો ભય

ડીસાના છોટાપૂરા ગવાડી વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગટરો ન બનતા પ્રજાને પડતી હાલાકી : રોગચાળો ફેલાવાનો ભય

ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર ડીસામાં ભૂર્ગભ ગટરો બનાવેલ છે. જ્યારે વોર્ડ ન. ૯ માં આવેલ છોટાપૂરા વિસ્તારમાં ગટર પણ ન હોવાથી ગંદા પાણી ના સરોવરો ભરાતા રોગ ચાલો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ડીસાના છોટાપૂરા ગુરુકૃપા મંડળીના પાછળના ભાગમાં છેલ્લા ૩૦ વર્ષથી ગટરો ન હોવાથી ઠેર ઠેર ગંદા પાણીમાં સરોવરો ભરાવાથી વારંવાર રોગચાળો ફેલાય છે. આ અંગે સ્થાનિક રહેવાસી  નજમુબેન નાગોરાએ જણાવ્યું કે, આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. જ્યારે જમીલાબેન શેખે જણાવ્યું કે, ગંદા પાણીના સરોવરો ભરાવાથી આમારા બાળકો વારંવાર બીમારીમાં સંપડાય છે. જ્યારે રફીકભાઈ નાગોરાએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા ઘર વેરા સફાઈ વેરા વસૂલ કરે છે. પરંતુ પૂરતી સુવિધા ન આપતા નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. જ્યારે શાજેદા બેન શેખે જણાવ્યું કે, આ અંગે અનેક વાર નગરપાલિકામાં જણાવેલ પરંતુ કોઈ સુવિધા ન આપતા અમારે ભારે હેરાંનગીતી વેઠવી પડે છે. આ અંગે ચીફ ઓફિસર તથા પ્રમુખ દ્વારા સર્વે કરી તાત્કાલિક ગટરો બનાવી રોગ નાભરડા માંથી બચાવે તેવી જનમાંગ કરી હતી.

સંબંધિત સમાચાર