રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા20 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના પારપડા રોડ પર રેલવેના નાળામા પાણી ભરાઇ જતા લોકોમાં આક્રોશ...!

પાલનપુરના પારપડા રોડ પર રેલવેના નાળામા પાણી ભરાઇ જતા લોકોમાં આક્રોશ...!
વરસાદી પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલનની ચીમકી...! નાળામાં પાણી ભરાઇ જવાને લઇ પંદરથી વીસ ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે. પાલનપુરમાં વહેલી સવારે બે ઇંચ ઉપરાંત વરસાદ પડતા પારપડા રોડ પર આવેલ રેલવેના નાળામાં પાણી ભરાઇ જતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે જોકે અહી સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં ના આવતા લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુરથી ભટામલ, ભૂતેડી,મોરીયા,દેલવાડા, આકેડી, બાદરપૂરા પારપડા સહિતના પંદરથી વીસ ગામોને જોડતા માર્ગ પર પાલનપુરના પારપડા રોડ પર રેલવેનું નાળું આવેલું છે, જેમાં વરસાદી પાણી ભરાઇ જવાને લઇ અહી મોટા ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઇ રહેતું હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જોકે તાજેતરમાં પડેલા વરસાદનું પાણી હજુ તો ઓસર્યું પણ ન હતું જ્યા શનિવારે વહેલી સવારે પડેલા બે ઇંચ વરસાદમાં અહી ફરી ઢીચણ સમુ પાણી ભરાઇ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આ નાળામાં પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ન આવતા સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર