રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ18 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. ચિંતન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર સોમવારે રાજ્યભરના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આદિવાસી સમાજ રાજ્યભરમાં આંદોલન કરશે. આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર