પૂવૅ પાલિકા પ્રમુખ દિનેશ પટ્ટણી એ રાજકીય કિન્નાખોરીના આક્ષેપો કર્યા
પાટણ નગરપાલિકા તંત્ર એ બુધવારના રોજ શહેરના મોટી સદરવાજા વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણ દૂર કરવા જેસીબી મશીનની મદદથી ડિમોલેશનની કામગીરી હાથ ધરતા વિસ્તારના લોકોમાં ભારે ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની કામગીરીને પાલિકા ના પૂવૅ પ્રમુખ દિનેશ પટ્ટણી એ રાજકીય કિન્નાખોરી ગણાવી જણાવ્યું હતું કે, જયારે તેઓ ભાજપમાં હતા ત્યાં સુધી બધું યોગ્ય હતું. પરંતુ ગત પાલિકાની ચૂંટણી મા તેઓએ ભાજપ સાથે છેડો ફાડી કોગ્રેસના ઉમેદવાર તરીકે ચુટણી લડી વિજેતા બનતા ભાજપના સતાધીશોએ બહુમતીના જોરે રાજકીય કિન્નાખોરી રાખી આ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરાવી હોવાના આક્ષેપ કર્યો હતો. પાલિકા તંત્રની ટીમ દ્વારા મોતીસા દરવાજા વિસ્તારમા હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ઝુંબેશને લઈ વિસ્તારના લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.





