ધાનેરા નેનાવા–સાંચોર હાઈવે નંબર 168 ની અત્યંત દયનીય અને ગંભીર હાલતને લઈને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલા મોટા અને જોખમી ખાડાઓને કારણે દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકોને જીવના જોખમે પ્રવાસ કરવાની નોબત આવી છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર, આ રોડના બાંધકામ અને સમયસરની જાળવણીમાં ભારે બેદરકારી અને નબળી ગુણવત્તા દાખવવામાં આવી છે. અત્યંત ટૂંકા સમયગાળામાં જ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વાહનચાલકો ચોંકાવનારી પ્રતિક્રિયા આપતાં કહી રહ્યા છે કે "હાઈવે પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય. સમગ્ર વિસ્તારના લોકોની નજર સંબંધિત સરકારી વિભાગ અને તંત્રના વલણ પર મંડાયેલી છે. તંત્ર ઊંઘમાંથી જાગીને નેનાવા–સાંચોર હાઈવે નં. 168 ને ક્યારે સુરક્ષિત અને સુગમ બનાવે છે તે જોવું રહ્યું.
નેનાવા-સાંચોર હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય બિસ્માર રસ્તાથી વાહનચાલકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં બેફામ ખનીજ ચોરી: નિયમો નેવે મૂકી રેતી માફિયાઓ સક્રિય, તંત્ર સામે સવાલો
3 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ એક વર્ષથી ધોરણે: ગટરલાઇન પછી રસ્તો ન બનતા હાલાકી
3 કલાક પહેલા
બનાસકાંઠાઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજની અટકાયત બાદ જામીન પર મુક્તિ
4 કલાક પહેલા
બનાસકાંઠારોટરી ક્લબ ડીસાને સેવાકીય કાર્યો બદલ 24 એવોર્ડ્સ મળ્યા
4 કલાક પહેલા
