પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. પખવાડિયા અગાઉ પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે આવેલ પુત્ર માતાને લઈ પરત લંડન જતા ઘટના બની હતી જેને લઈને મૃતકના કુટુંબીજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં પિતાનું અને દાદીનું મૃત્યુ થતાં પુત્ર લંડનથી પિતાની અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવશે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામના વતની અને અમદાવાદ નરોડા ખાતે રહેતા કેતનભાઇ ભગવાનભાઈ પટેલ ઉ.વ ૪૦ પખવાડિયા અગાઉ તેઓના પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યા હતા. પિતાની અંતિમ વિધિ પુર્ણ કરી અમદાવાદ ખાતે પોતાના ઘરેથી માતા સવિતાબેન પટેલ ઉ.વ ૭૦ સાથે પરત લંડન જઈ રહ્યાં હતા તે દરમિયાન ઘટના બનતા બન્ને જણાના મોત નીપજ્યા હતાં.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

ટેગ્સ:#Ahmedabad#Plane crash#fatal incident#Unjha Taluka#London#Family Tragedy#Aithor Village#Mourning#Mother and Son#Last Rites#Loss of Loved Ones#Grief and Bereavement
સંબંધિત સમાચાર
મહેસાણાવિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ
22 કલાક પહેલા
મહેસાણામહેસાણાના રામોસણામાં ગટરની ગંગા: ૧૫ દિવસથી ગંદા પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
22 કલાક પહેલા
મહેસાણાવિજાપુરમાં લોકશક્તિનો પરચો: જુના ફુદેડાના ગ્રામજનોએ દારૂબંધીનું રણશિંગું ફૂંક્યું
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વહીવટી સર્જરી: નવા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
