છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ સોમવારે સુરક્ષા દળોના વાહનને લેન્ડમાઈન વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં આઠ જવાનો સહિત નવ લોકો શહીદ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અંબેલી ગામની નજીક, નક્સલીઓએ લેન્ડમાઇન વિસ્ફોટ કરીને સુરક્ષા દળોના વાહનને ઉડાવી દીધું હતું, જેમાં સૈનિકોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં દંતેવાડા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના આઠ જવાનો શહીદ થયા હતા અને વાહનના ડ્રાઈવરનું પણ મોત થયું હતું. આ ટનલમાં લગભગ 100 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઈજીએ જણાવ્યું કે, ડીઆરજી દંતેવાડાના જવાનો સંયુક્ત ઓપરેશન બાદ સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. બસ્તર આઈજીએ કહ્યું કે સંયુક્ત ઓપરેશન દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરનું હતું. રાજ્ય પોલીસ એકમ DRG પર માઓવાદી હુમલો છેલ્લા બે વર્ષમાં સુરક્ષા કર્મચારીઓ પર નક્સલવાદીઓ દ્વારા સૌથી મોટો હુમલો છે, પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું.
નક્સલીઓનો મોટો હુમલો, હવામાં ઉડ્યા જવાનોના મૃતદેહ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયલિવ-ઇન રિલેશનશિપનો ભયાનક અંત; સુરતમાં મનીષાએ તેના પાર્ટનરની છરીના ઘા મારીને હત્યા
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય નિર્દોષ, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયત્રિપુરાની રાજધાનીમાં મોટો વિસ્ફોટ; એપાર્ટમેન્ટમાં વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેતન-સિયા અને સોનમ-રાજા પછી, હવે ઓડિશાનો 'ગીતા-શક્તિ' કાંડ: પતિનું માથું કાપીને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યું
1 દિવસ પહેલા
