- હોમ
- /Uncategorized
- /અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા

