રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ12 મે, 2026| Super Admin

રાધનપુરમાં શિક્ષકની જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

રાધનપુરમાં શિક્ષકની જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

રાધનપુર તાલુકાના નાનાપુરા ગામની સીમમાં શિક્ષકની ખેતીની જમીન પચાવી પાડવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર પ્રાથમિક શાળાના શિક્ષક હેંગાભાઈ જાગાભાઈ ભરવાડે સગરામભાઈ રાયાભાઈ રાવળ, કનુભાઈ સગરામભાઈ રાવળ, ચતુરભાઈ સગરામભાઈ રાવળ અને પિન્ટુભાઈ સગરામભાઈ રાવળ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી છે. કલેક્ટરના આદેશ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

ફરિયાદ મુજબ, ફરિયાદી હેંગાભાઈ ભરવાડે વર્ષ 2020 માં નાનાપુરા ગામના સર્વે નંબર 309 પૈકી 2 વાળી 1-94-62 હેક્ટર જમીન ઉકાભાઈ માવજીભાઈ ચમાર પાસેથી રૂ.2 લાખમાં ખરીદી હતી. આ જમીન અગાઉ મૂળ માલિકે રાવળ પરિવારના સભ્યોને ભાગે વાવેતર કરવા આપી હતી.જમીન વેચાઈ ગયા બાદ પણ આરોપીઓએ તેનો કબજો ખાલી કર્યો ન હતો. આ મામલે સેશન્સ કોર્ટે ફરિયાદીની તરફેણમાં હુકમ કર્યો હોવા છતાં, આરોપીઓએ જમીનનો કબજો છોડવાનો ઇનકાર કર્યો હતો.જમીનનો કબજો મેળવવા માટે ફરિયાદીએ પાટણ કલેક્ટર કચેરીમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ઓનલાઈન અરજી કરી હતી.

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિની તપાસમાં આરોપીઓનો કબજો અનઅધિકૃત હોવાનું સાબિત થયું હતું.સમિતિ દ્વારા જમીન ખાલી કરવાની સૂચના આપવા છતાં આરોપીઓએ અડધા ભાગની એટલે કે 0-97-31 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો અને ત્યાં વિવિધ પાકોનું વાવેતર કરી આર્થિક લાભ મેળવતા હતા. કલેક્ટરના હુકમ બાદ રાધનપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 4(3), 5 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(3), 54 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિ. પ્રણાલસિંહ લક્ષ્મણસિંહ પરમારને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર