રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!
પર્યુષણ મહા પર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાના ની દુકાનો બંધ રાખવાની માંગ; અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મહા પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાના સહિત માંસની દુકાનો તા. ૨૦/૮/૨૫ થી તા. ૨૭/૮/૨૫ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પર્યુષણ મહા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે. જેમાં પ્રર્વતન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે મહત્વનું છે. તેથી પર્યુષણ પર્વાધિરાજના ૯ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર