ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

પર્યુષણ મહા પર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાના ની દુકાનો બંધ રાખવાની માંગ; અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મહા પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાના સહિત માંસની દુકાનો તા. ૨૦/૮/૨૫ થી તા. ૨૭/૮/૨૫ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પર્યુષણ મહા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે. જેમાં પ્રર્વતન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે મહત્વનું છે. તેથી પર્યુષણ પર્વાધિરાજના ૯ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
ટેગ્સ:#Jain Community#Bhabhar Municipality#Paryushan Maha Parva#Ahimsa#Slaughterhouse Ban#Adhyatma Parivar Trust#Religious Request#Gujarat Civic Affairs#Non-Violence Festival#Payal Desai
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
